ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મોત બાદ હવે યૂક્રેનની (Ukraine) રાજધાની કીવમાં (Kyiv) વધુ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો છે વિદ્યાર્થીને ગોળી લાગી છે. જનરલ વીકે સિંહે (General VK singh) કહ્યું, ‘કીવના એક વિદ્યાર્થીને ગોળી વાગવાની માહિતી મળી છે અને તેને તાત્કાલિક કીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેને દાખલ કરવામાં આવ્યો છે.
જનરલ વીકે સિંહે કહ્યું કે ભારતીય દુતાવાસે પહેલા જ તમામ ભારતીય વિદ્યાર્થીઓને કીવ છોડવાની સૂચના આપી હતી. યુદ્ધની સ્થિતિમાં બંદીક ની ગોળી કોઇ ધર્મ કે રાષ્ટ્રીયતા જોતુ નથી.વિદ્યાર્થીઓ હાલમાં યુદ્ધગ્રસ્ત દેશ યૂક્રેનથી ભાગી રહ્યા છે અને તેઓ ભારત પરત ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચાર કેન્દ્રીય પ્રધાનો, હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહે યૂક્રેનને અડીને આવેલા દેશોમાં સ્થળાંતર કરવાના પ્રયાસો પર નજર નાખી રહ્યા છે.
પંજાબના બરનાલામાં 22 વર્ષના વિદ્યાર્થીનું મોત
બીજી તરફ પંજાબના બરનાલા જિલ્લાના 22 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે યૂક્રેનમાં મૃત્યુ થયું હતું. લગભગ એક મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. સત્તાવાર સૂત્રોએ અહીં જણાવ્યું કે ચંદન જિંદાલને યૂક્રેનની વિનિત્સા ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારે સરકારને તેનો મૃતદેહ પરત લાવવા વિનંતી કરી છે.
જિંદલ વિનિત્સિયા નેશનલ પિરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટી, વિનિત્સિયામાં અભ્યાસ કરતો હતો. બરનાલામાં જિંદલના કાકા કૃષ્ણ ગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને 3 ફેબ્રુઆરીએ ચંદનના ખરાબ સ્વાસ્થ્ય વિશે માહિતી મળી હતી અને યૂક્રેનિયન સત્તાવાળાઓએ પરિવારને ઓપરેશન કરાવવાની મંજુરી માંગવામાં આવી હતી. ગોપાલે જણાવ્યું કે તે અને ચંદનના પિતા 7 ફેબ્રુઆરીએ યૂક્રેન ગયા હતા. ગોપાલ પાછળથી પાછો ફર્યો જ્યારે તેનો ભાઈ તેના પુત્ર સાથે યૂક્રેનમાં રહ્યા.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ “ઓપરેશન ગંગા” હેઠળ યૂક્રેનથી પરત લાવવામાં આવેલા 439 ભારતીય નાગરિકો માટે અહીં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વાગત કર્યું અને કહ્યું કે મોદી સરકાર ભારતના તમામ નાગરિકોને સુરક્ષિત ઘરે પરત લાવવા માટે ‘મિશન મોડ’ પર કામ કરી રહી છે.
નકવીએ સ્પેશિયલ એરક્રાફ્ટમાં આવીને યૂક્રેનથી ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું અને કહ્યું કે ‘ઓપરેશન ગંગા’ હેઠળ યૂક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયો. મોદી સરકાર ‘મિશન મોડ’ પર પૂરી તાકાતથી કામ કરી રહી છે જેથી નાગરિકો અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે ભારત આવી શકે.