શાસ્ત્રોમાં, પુરાણોમાં ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે – શ્રાવણે પૂજયેત શિવમ. એટલે કે શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના વિશેષ ફળદાયી છે. ભોલે ભંડારી થોડી ભક્તિ થી પ્રસન્ન થાય છે અને તેના ભક્તોની ઇચ્છાઓ પૂરી કરે છે. એક શ્લોક મુજબ વેદ શિવા:, શિવ: વેદ એટલે વેદ શિવ છે અને શિવ વેદ છે.
મહાકાલ વિશે એટલે કે ભગવાન શિવ વિશે લખવામાં આવ્યું છે કે – રૂદ્ર બધા દેવોના આત્મામાં હાજર છે અને બધા દેવો રુદ્રના આત્મા છે. એટલે ભગવાન આશુતોષ તમામ દુ: ખનો નાશ કરે છે. ભગવાન શિવને પ્રિય એવા બિલ્વપત્રનો ઉલ્લેખ શિવપુરાણમાં છે. એવુ કહેવાય છે કે જે કોઇને પ્રિય નથી તે ભોલેનાથને પ્રિય છે. શિવજી પર પાંચ એવી વનસ્પતિ ચડાવવામાં આવે છે જે કોઇ પર ચડતી નથી.
ભાંગના પાન
એવુ કહેવાય છે કે ભાંગ ભોલેનાથને ખુબ પ્રિય છે. શિવલિંગ પર ભાંગના પાન ચડાવવાથી આપણા મનની વિકૃતિઓ અને દુષણો દૂર થાય છે. ભાંગ એક દવા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે વીષ પાન કર્યુ હતુ, ત્યારે દેવોએ ઝેરથી ઝેરને મટાડવા માટે ભાંગના પાંદડાઓનો ઉપયોગ કર્યો હતો.
ખીજડાના પાન
સામાન્ય રીતે શમીના પાંદડા માત્ર શનિદેવને ચડાવવામાં આવે છે, પરંતુ આ પાંદડા શિવલિંગને પણ ચાવવામાં આવે છે. દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરો અને તે પછી શમીના પાંદડા બિલ્વ સાથે ચડાવો આમ કરવાથી ભોલેનાથની સાથે શનિદેવની કૃપા પણ રહેશે.
દુર્વા
દુર્વા એટલે કે દર્ભ સાદી ભાષામાં તેને દાભડો કહે છે આ દર્ભનું મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેમાં અમૃત રહે છે. દુર્વા ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને દુર્વા અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
આંબાના પાન
ભગવાન શિવને આંબાના પાન ચડાવવાથી તે પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, સાથે સાથે ધન અને લાભની શક્યતાઓ પણ સર્જાય છે.
ધતુરો
ધતુરાના ફળ અને પાનનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ધતુરો શિવને ખૂબ પ્રિય છે. આ શિવલિંગ પર અર્પણ કરવાથી ભક્તના તમામ ખરાબ વિચારો નાશ પામે છે અને વિચાર સકારાત્મક બને છે.