માર્કેટ રેગ્યુલેટર સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે મર્જર અને એક્વિઝીશન્સને વધુ સરળ બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે તેમના શેર્સને શેરબજાર પરથી ડિલિસ્ટ કરાવવાના નિયમોમાં સુધારા કર્યાં છે. નવા નિયમો હેઠળ પ્રમોટર્સ અથવા કંપનીના ખરીદારને કંપની ડિલિસ્ટ કરાવવાની શા માટે જરૂર છે તે અંગે આરંભિક પબ્લિક એનાઉન્સમેન્ટ મારફ્તે જાણ કરવાની રહેશે એમ નોટિફ્કિેશન જણાવે છે.
જો ખરીદકાર તેણે ખરીદેલી કંપનીનું ડિલિસ્ટીંગ ઈચ્છતો હોય તો તેણે ડિલિસ્ટીંગ માટે ફરજિયાતપણે બજારભાવથી પ્રિમીયમ પર ઓપન ઓફર કરવાની રહેશે એમ પણ નવા નિયમો સૂચવે છે. આડકતરી ખરીદીના કિસ્સામાં ઓપન ઓફર કરવામાં આવી હોય તો ઓપન ઓફરનો ભાવ તથા સાંકેતિક ભાવને ખરીદારે વિગતવાર જાહેર નિવેદન કરતી વખતે દર્શાવવાનો રહેશે એમ સેબીએ સોમવારે રજૂ કરેલા નોટિફ્કિેશનમાં જણાવાયું હતું.
હાલના નિયમો મુજબ જો ઓપન ઓફર આપવામાં આવે તો ખરીદારે ટેકઓવર નિયમોનું પાલન કરતાં તેના હોલ્ડિંગને 75 ટકા અને ક્યારેક 90 ટકા ઉપર લઈ જવું પડી શકે છે. જોકે સિક્યૂરિટીઝ કોન્ટ્રેક્ટ નિયમોના પાલનની ખાતરી આપતાં ખરીદારે પ્રથમ તો ડિલિસ્ટીંગ નિયમો મુજબ તેના હોલ્ડિંગને 75 ટકા નીચે લઈ જવું પડે છે. આ એકબીજાથી વિરુધ્ધ દિશાના ટ્રાન્ઝેક્શન્સને કારણે લિસ્ટેડ કંપનીઓના ટેકઓવરમાં જટિલતા ઊભી થાય છે.
ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં ખરીદાર તેના ટેકઓવર બાદ કંપની ડિલિસ્ટ થાય તેવી ઈચ્છા ધરાવે છે. સુધારેલા નિયમો લિસ્ટેડ કંપનીઓ માટે એમએન્ડએ ટ્રાન્ઝેક્શન્સને વધુ તાર્કિક અને સરળ બનાવવાનો અને રોકાણકારોના હિતને સંતુલિત કરવાનો ઈરાદો ધરાવે છે. નવા નિયમો મુજબ જો ઓપન ઓફરના પ્રતિભાવમાં ડિલિસ્ટિંગ માટેની લઘુત્તમ જરૂરિયાત મુજબ 90 ટકા હિસ્સો મેળવી લેવામાં આવે તો તમામ શેરધારકોને તેમના શેર્સના બદલામાં સાંકેતિક ભાવ ચૂકવવામાં આવશે. જે કિસ્સામાં 90 ટકા હિસ્સો મેળવી શકાય નહિ તેવા કિસ્સામાં રોકાણકારને ઓપન ઓફર હેઠળનો ભાવ ચૂકવવામાં આવશે.
નવા નિયમો હેઠળ જો કંપની ડિલિસ્ટ ના થઈ શકે અને ઓપન ઓફરને કારણે ખરીદાર 75 ટકાથી વધુ હિસ્સો મેળવી લે તો ઓફર ઓફર પૂરી થયાના 12 મહિના બાદ ખરીદારને રિવર્સ બુક બિલ્ડિંગ મિકેનીઝમ મારફ્તે ડિલિસ્ટીંગ માટે વધુ પ્રયાસની છૂટ મળશે. જો ખરીદાર બાકીના શેર્સમાંથી 50 ટકા હિસ્સો ખરીવામાં સફ્ળ રહેશે તો ડિલિસ્ટીંગ માટેનો તેનો પ્રયાસ સફ્ળ રહેશે.
જો લંબાવવામાં આવેલા 12 મહિનાઓ દરમિયાન ડિલિસ્ટીંગનો પ્રયાસ સફ્ળ ના રહે તો ખરીદારે આ પિરિયડ પૂરા થયાના 12 મહિનામાં લઘુત્તમ શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે એમ નવા નિયમો જણાવે છે.