કેન્દ્ર સરકારે પાનને આધાર સાથે લિન્ક કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તારીખ સુધી આધાર-પાન લિન્ક ન કરવા પર તમારો પાન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવાશે. ઈનઓપરેટિવ પાનનો ઉપયોગ કરવા પર તમારા પર 10 હજાર રૂપિયા દંડ લાગી શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર-પાન લિન્ક કરવાના રહેશે.
આજે અમે તમને જણાવીએ છીએ કે તમારા પાનને આધાર સાથે કેવી રીતે લિન્ક કરી શકાય... આમ ચેક કરો આધાર-પાન લિંક છે કે નહીં
એક મેસેજથી કરી શકો છો આધાર-પાન લિન્ક
ઓનલાઈન લિન્ક કરી શકો છો આધાર-પાન
લિન્ક ન હોય તો પાન થઈ જશે નિષ્ક્રિય
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર જો કોઈ પાન કાર્ડ હોલ્ડર્સ પાનને આધાર સાથે લિન્ક કરાવતો નથી તો તેમના પાનને ઈનઓપરેટિવ ઘોષિત કરી દેવાશે. તેના પછી નાણાકીય લેવડદેવડમાં પાનનો ઉપયોગ નહીં થઈ શકે. એ પણ જાણી લો કે જો તમે તમારા બેન્ક અકાઉન્ટમાંથી 50 હજારથી વધુ રકમ ઉપાડો છે કે જમા કરી રહ્યા છો તો તમારે પાન કાર્ડ બતાવવું પડે છે. એવામાં પાન નિષ્ક્રિય હોય તો તમે 50 હજાર રૂપિયાથી વધુની લેવડદેવડ નહીં કરી શકો.
અટકી શકે છે રોકાણના પૈસા
સેબીએ કહ્યું છે કે જો 30 સપ્ટેમ્બર સુધી પાન અને આધારને લિન્ક ન કરવામાં આવે તો પાન કામ કરવાનું બંધ કરી દેશે. જો પાન નહીં હોય તો કોઈપણ ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે.
આપવો પડશે બમણો TDS
સીએ અભય શર્માના અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક પોતાની આવક પર 20%ના દરે TDS કાપશે.
દંડ પણ લાગી શકે છે
નિયમ અંતર્ગત જો તમારો પાન નિષ્ક્રિય થઈ ચૂક્યો છે અને પછી પણ તમે તેનો ઉપયોગ બેંકની લેવડદેવજ કે અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે કાયદા અંતર્ગત પાન આપ્યો નથી, એવામાં તમારા પર ઈનકમ ટેક્સ એક્ટની કલમ 272B અંતર્ગત 10000 રૂપિયાનો દંડ લાગી શકે છે. એક્ટની કલમ 139A અંતર્ગત માગવા પર પાન બતાવવો અનિવાર્ય છે. જો કે બેંક અકાઉન્ટ ખોલાવવા કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરવા પર દંડ નહીં લાગે.