દેશમાં કરન્સી નોટને લઈને અનેક પ્રકારના સમાચાર જાણવા મળી રહ્યા છે. હાલમાં સરકારે 2000 રૂપિયાની નોટને ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે RBI એ એક નિયમ જાહેર કર્યો છે જેમાં રિઝર્વ બેંકે સ્ટાર નિશાનની નોટને વિશે જાણકારી આપી છે. ભારતીય રિઝર્વ બેંકે સ્ટાર નિશાનની નોટની વેલિડિટીને લઈને કહ્યું કે તમામ આશંકાઓ ખોટી છે. આ નોટ અન્ય કોઈ પણ વેલિડ નોટના બરાબર જ હશે.
શા માટે જાહેર કરાઈ છે સ્ટાર નિશાનની નોટ
RBI એ કહ્યું કે ખોટી રીતે છપાયેલી નોટને બદલે જાહેર કરાયેલા આ નોટ પર અંકિત નંબરની પેનલમાં સ્ટારનું નિશાન જોડવામાં આવ્યું છે. સીરિયલ નંબરની નોટમાં ખોટી રીતે છપાયેલી નોટના બદલે સ્ટારનું નિશાન રાખીને નોટ જાહેર કરવામાં આવી છે.
સ્ટાર વાળી નોટ છે વેલિડ
કેન્દ્રીય બેંકે સ્પષ્ટીકરણ આપ્યું છે કે નોટના નંબર પેનલમાં સ્ટાર નિશાન હશે તો તેની વેલિડિટીને લઈને કેટલાક સોશિયસ મીડિયા પોસ્ટમાં શંકા જાહેર કરાઈ છે. આ સમયે RBI એ ખાસ જાણકારી આપી છે અને કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, આ નોટ પણ અન્ય નોટની જેમ વેલિડ રહેશે. આ સ્ટારનું નિશાન એ દર્શાવે છે કે તેને બદલાયેલા કે ફરી પ્રિન્ટ કરાયેલા નોટને બદલે જાહેર કરાઈ છે. સ્ટારનું આ નિશાન નોટના નંબર અને તેની પહેલાના અક્ષરોની વચ્ચે રાખવામાં આવ્યું છે.
30 સપ્ટેમ્બર સુધી બદલાવી શકાશે 2000 રૂપિયાની નોટ
RBI ગર્વનરે કહ્યું છે કે જેની પણ પાસે 2000 રૂપિયાની નોટ છે તેને બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે અથવા બેંકમાં જઈને અન્ય નોટની સાથે ચેન્જ કરાવડાવી શકાય છે. બેંકોએ 2000ની નોટને બદલવાની જરૂરી વ્યવસ્થા કરી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગની 2000ની નોટો બેંકમાં પરત આવશે.