દિલ્હીના મુકુંદપુર ચોક પાસે વરસાદી પાણીમાં નહાવા માટે પડેલા 3 બાળકોના મોત થયા છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે. બાળકોની ઉંમત 14-15 વર્ષની આસપાસ હોવાનું સામે આવ્યું છે.
જાણકારી પ્રમાણે, મુકુંદપુરમાં એક ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું. જેમાં આ બાળકો નહાવા પડ્યા હતા. જોકે, બાદમાં તેઓ દુબવા લાગ્યા હતા. ડૂબી રહેલા બાળકોને બચાવવા માટે એક કોન્સ્ટેબલ પણ પાણીમાં કૂદયો હતો. પરંતુ ત્યાં સુધી બાળકોના મોત થઈ ગયા હતા.
એસટીઓ રામ ગોપાલે જણાવ્યું કે જ્યારે અમારી પેટ્રોલિંગ યુનિટ પરત ફરી તો લોકોએ જણાવ્યું કે ત્રણ બાળકો મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ભરાયેલ ખાડીમાં ડૂબી રહ્યા છે. તેમને બહાર કાઢવામાં આવ્યા અને BJRM હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય બાળકોની ઓળખ 13 વર્ષીય પિયુષ, 10 વર્ષીય નિખિલ અને 13 વર્ષીય આશિષ તરીકે થઈ છે. ત્રણેય બાળકો જહાંગીર પુરી એચ બ્લોકમાં રહેતા હતા.
દિલ્હીના અનેક વિસ્તારો જલમગ્ન
દિલ્હીની ગીતા કોલોનીની સાથે સાથે લોહા પુલ અને યમુના બજાર વિસ્તારમાં એક રેલવે પુલની નીચે અનેક વાહનો પૂરના પાણીમાં ફસાઈ ગયા છે.
સચિવાલય સહિત દિલ્હીના અનેક મુખ્ય વિસ્તારોમઓ ગુરુવારે પૂરના પાણી ઘૂસી ગયા હતા. જ્યાં મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓનો ઓફિસો પણ છે.