હોળીનો તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. હોળીનો તહેવાર બુરાઈ પર સારાશનો વિજયનું પ્રતીક છે. રંગોનો આ તહેવાર લોકોને દુશ્મની ભૂલીને ગળે લગાવડવા માટે પ્રેરિત કરે છે. તે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે સાંજના સમયે હોળિકા દહન કરાય છે અને અન્ય દિવસે રંગ રમાય છે એટલે કે ધૂળેટીનો તહેવાર ઉજવાય છે.
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઉપાય કરી લેવા જોઈશે. તો તમામ સમસ્યાઓથી છૂટકારો મળે છે. હોળિકા દહન પર કયા ઉપાયો તમને રાહત આપશે તે જાણવું જરૂરી છે.
નોકરી -બિઝનેસમાં લાભ માટે કરો આ કામ
હોળિકા દહનના દિવસે સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ કરો. હવે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ, રાધા-કૃષ્ણની પૂજા કરો. સાંજના સમયે એક નારિયેળ લઈને પરિવારના સભ્યોના માથા પરથી ઉતારી લો. હવે તેને હોળિકાની આગમાં પધરાવી લો. આ ઉપાય રૂપિયા મેળવવાના રસ્તા ખોલી દેશે.
આર્થિક તંગી દૂર કરવાનો ઉપાય
હિંદુ ધર્મમાં દાનને વિશેષ માનવામાં આવે છે. ખાસ અવસરે કરાયેલું દાન વધારે ફળ આપે છે. હોળિકા દહનમાં દાનનું ખાસ મહત્ત્વ છે. નાની હોળીના દિવસે દાન કરવાથી રૂપિયાની તંગી દૂર થાય છે. આ ઉપાય આર્થિક સમસ્યાઓથી છૂટકારો અપાવશે.
આર્થિક સ્થિતિથી બહાર આવવા
જો તમે કોઈ આર્થિક સંકટમાં ફસાયેલા છો તો આર્થિક સમસ્યાઓ ખતમ થવાનું નામ લેતી નથી તો હોળિકા દહન પહેલા લાકડાના ઢેરની પૂજા કરતા પહેલા તેને મિઠાઈનો ભોગ લગાવો. ફરીથી હોળિકા દહનના સમયે ઘઉં, વટાણા અને ચણાને આગમાં અર્પિત કરો. આ ઉપાય ઘરની મહિલાઓ કરશે તો માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે.