શિવરાત્રિના દિવસે ભગવાન શિવના મંત્રનો જાપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ 1 માર્ચે ઉજવાશે. આ દિવસે તમારે સવારે સ્નાનાદિ કાર્ય પતાવીને સાફ કપડા પહેરવા. વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવી. મહાદેવશિવ ભક્તોની મનોકામના પૂરી કરે છે. જેઓ સાચા મનથી જળ અર્પણ કરો છો તો શિવજી પ્રસન્ન થાય છે. જો તમે કોઈ હેતુની પૂર્તિ માટે શિવની પૂજા કરી રહ્યા છો તો તમે તમારી રાશિ અનુસાર પ્રભાવશાળી શિવમંત્રનો જાપ કરી શકાય છે. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો. તો જાણો રાશિ અનુસાર ભગવાન શિવના મંત્રો વિશે. જ્યારે ભગવાન શિવના મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળા સાથે કરો છો તો તેનું વિશેષ ફળ મળે છે.
જાણો તમામ રાશિના અનુસાર મંત્ર
મેષ રાશિ વાળા લોકો માટે આ છે શિવમંત્ર
મહાશિવરાત્રિ પર મેષ રાશિના લોકોએ પંચાક્ષર મંત્ર ओम नम: शिवायનો જાપ કરવો. શિવ પંચાક્ષર મંત્ર તમામ મનોકામનાની પૂર્તિ કરનારો મંત્ર છે.
વૃષભ રાશિના લોકોએ આ મંત્રનો કરવો જાપ
આ રાશિના લોકો જ્યારે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તો ओम नागेश्वराय नमःનો જાપ કરો. ભગવાન ભોલેનાથ તમારા મનની મનોકામના પૂરી કરશે.
મિથુન રાશિના જાતકોએ ભજવો આ મંત્ર
આ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે ओम नम: शिवाय कालं महाकाल कालं कृपालं ओम नम:નો જાપ કરવો. તેનાથી તમારા અટકેલા કાર્યો સફળ થશે.
કર્ક રાશિના લોકો માટે ખાસ છે શિવમંત્ર
આ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે શિવપૂજામાં ओम चंद्रमौलेश्वर नम:નો જાપ સાચા મનથી કરી લેવો. તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળશે.
સિંહ રાશિના લોકોએ ખાસ મંત્રનો જાપ કરવો
મહાશિવરાત્રિના દિવસે સિંહ રાશિના લોકોએ ओम नम: शिवाय कालं महाकाल कालं कृपालं ओम नम:નો મંત્રજાપ શુદ્ધતાની સાથે કરી લેવો. શિવકૃપા મળતા જ તમામ સમસ્યાઓ દૂર થશે.
કન્યા રાશિના લોકોએ આ મંત્રનો કરવો જાપ
આ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે ओम नमो शिवाय कालं ओम नम:નો મંત્રજાપ કરવો. મંત્રનો જાપ કરતી સમયે શુદ્ધ રીતે ઉચ્ચારણ કરાય તેનું ધ્યાન રાખી લેવું.
વૃશ્વિક રાશિને માટે કરો આ શિવમંત્ર
મહાશિવરાત્રિના દિવસે વૃશ્વિક રાશિના લોકોએ ओम हौम ओम जूं स: મંત્રનો જાપ વિધિવત રીતે કરી લેવો. મહાદેવ તમારી મનોકામના પૂરી કરશે.
ધન રાશિના જાતકોએ શું કરવું
ધન રાશિના જાતકો માટે મહાશિવરાત્રિના દિવસે જાપ માટે પ્રભાવશાળી મંત્ર ओम नमो शिवाय गुरु देवाय नम: છે.
મકર રાશિના લોકો માટે છે ખાસ મંત્ર
આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ओम हौम ओम जूं स: મંત્રનો જાપ કરી લેવો. શિવકૃપાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે અને શિવજી સંકટ પણ હરી લે છે.
કુંભ રાશિના લોકો માટેનો શિવમંત્ર
મકર અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે. આ કારણે આ રાશિના લોકોએ પણ ओम हौम ओम जूं स:નો જાપ કરી લેવો. તે કલ્યાણકારી સાબિત થશે.
મીન રાશિને આ મંત્રથી થશે લાભ
મીન રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે ओम नमो शिवाय गुरु देवाय नम: મંત્રનો જાપ કરી લેવો ઉત્તમ માનવામાં આવે છે.