આપણે અનેક વાર જોયું છે કે જ્યારે આપણે પાણીમાં લાંબા સમય સુધી રહીએ છીએ ત્યારે હાથ અને પગની ચામડી પર કરચલીઓ પડી જાય છે. ચામડી વધારે સેન્સેટિવ થઈ જાય છે. હથેળી અને પંજા પર કરચલી પડી જાય છે, પરંતુ શું તમે જાણો છો આવું શા માટે થાય છે, શા માટે માત્ર હાથ અને પગ પર જ કરચલી પડતી હોય છે. ખરેખર અત્યાર સુધી આવું માનવામાં આવતું કે પાણીમાં વધારે રહેવાથી પગની ચામડીમાં પાણી ઓછું હોવાથી થવા લાગે છે, તેનાથી ચામડી સંકોચાઈ જાય છે, પરંતું આવું નથી. હાલમાં થયેલા એક સંશોધન સામે આવ્યું છે, જેમાં કહ્યું છે કે, કરચલીઓ હાથ અને પગને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.
ભીના હાથમાં કેમ પડે છે કરચલી
સંશોધોન પ્રમાણે વધુ સમય પાણીમાં ચામડી રહેવાથી કરચલી પડવાના કારણ પાછળ આપણા શરીરની એક સિસ્ટમ કામ કરે છે. વૈજ્ઞાનિકોનું કેહવું છે કે ચામડીની અંદર ફ્રી રેડિકલ્સ કામ કરે છે. જે વધારે પાણીમાં રહેવાથી નસોને ભેગી કરી દે છે, આથી ચામડી પર સંકોચાઈ જાય છે. આ ફ્રી રેડિકલ્સ શ્વાસ, ધબકારા અને પરસેવાને નિયંત્રિત કરે છે. આથી પગના તળિયા અને હાથોની હથેળીયો પર કરચલીઓ પડી જાય છે. આપણું શરીર આવી પ્રતિક્રિયા આપે છે કારણ કે પાણીમાં હાથ વધારે ચીકણા બને છે. આપણે વસ્તુને પકડી શકે નહી. ક્યારેક સરકી પણ જાય છે. હાથ પરની આ કરચલીઓના કારણે આપણી પકડ મજબૂત બને છે, અને આપણા હાથમાંથી વસ્તુ લપસવાથી બચાવી શકીએ છીએ.
સંશોધનમાં આ વાત બહાર આવી
આ સંશોધનના પરિણામ કહે છે કે, તે કારના ટાયરની જેમ આપણા પગમાં પકડ બનાવે છે. તેનાથી આપણી પકડ મજબૂત બને છે. આ સંશોધનમાં કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને પાણીમાં પલાળેલા માર્બલના ટુકડા આપવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓએ ટુકડાઓ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને તે ખૂબ જ મુશ્કેલ લાગ્યું. પથ્થર ટુકડાઓ વારંવાર સરકતા રહ્યા, પરંતુ એવું જોવા મળ્યું કે જ્યારે આ વિદ્યાર્થીઓના હાથમાં કરચલીઓ આવી ગઈ ત્યારે તેઓ ભીના આરસના ટુકડાને સરળતાથી ઉપાડી શકતા હતા.