ગુરુવાર, 11 માર્ચના રોજ શિવજી અને માતા પાર્વતીની પૂજાનો પર્વ મહાશિવરાત્રિ છે. શિવલિંગ ઉપર જળ ચઢાવો, બીલીપાન ચઢાવો અને મીઠાઈનો ભોગ ધરાવો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવલિંગ સામે બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ મંત્રના જાપથી તણાવ દૂર થાય છે. સતત મંત્ર જાપ કરવાથી મન શાંત થાય છે.
મહામૃત્યુંજય મંત્રઃ-
ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम्, ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षियमामृतात्।।
અર્થ- આપણે ત્રણ આંખવાળા ભગવાન શિવનું મનથી ધ્યાન કરીએ છીએ. તમે અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છો. જીવન અને મૃત્યુના બંધનમાથી મુક્ત થઇને અમૃત તરફ આગળ વધીએ.
મંત્રનો જાપ કરવાથી એકાગ્રતા વધે છેઃ-
મંત્રનો સતત જાપ કરવાથી શારીરિક અને માનસિક ઊર્જા મળે છે. સતત એક જ લયમાં જાપ કરવાથી શરીરનો થાક દૂર થાય છે. મનની એકાગ્રતા વધે છે. શિવપુરાણમાં મહામૃત્યુંજય મંત્રનો મહિમા જણાવ્યો છે. આ મંત્રના જાપથી શિવજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
શિવજી સામે બેસીને મંત્રનો જાપ કરોઃ-
આ મંત્રનો જાપ શિવલિંગ સામે બેસીને કરવો જોઇએ. મંત્ર જાપ કરનાર ભક્તોએ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. શિવલિંગ સામે દીવો પ્રગટાવવો અને પૂર્ણ એકાગ્રતા સાથે મંત્રનો જાપ કરો. તેના માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ.
આ વાતનું ધ્યાન રાખવું જોઇએઃ-
મંત્રનો ઉચ્ચારણ યોગ્ય હોવો જોઇએ. જે લોકો આ મંત્રનો યોગ્ય ઉચ્ચારણ કરી શકતાં નથી તેઓ કોઇ બ્રાહ્મણ પાસે મંત્ર જાપ કરાવી શકે છે. મંત્ર જાપ કરતી સમયે દીવો પ્રજ્જવલિત રહેવો જોઇએ. હંમેશાં આસન ઉપર બેસીને જ મંત્રનો જાપ કરો. જાપ કરતી સમયે ભક્તનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. ભક્તોએ ખરાબ કાર્યોથી દૂર રહેવું જોઇએ. નહીંતર મંત્ર જાપનું પુણ્ય મળી શકતું નથી.