ભારતીય ચૂંટણી પંચ ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવા જઈ રહી છે. 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ખાસ વાત એ છે કે, વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી 25મીં જુલાઈએ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જ્યારે ભારતીય બંધારણના આર્ટીકલ 62 મુજબ, આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી વર્તમાન રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા તે પહેલા થવી જરૂરી છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને વિસ્તારપૂર્વક સમજીએ...
કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કૉલેજ સિસ્ટમ થકી થાય છે. જેમાં સાંસદ અને ધારાસભ્યો મતદાન કરે છે. ચૂંટણી પંચની દેખરેખમાં આ સમગ્ર પ્રક્રિયા પૂરી થાય છે.
એવામાં સવાલ થાય કે, શું છે ઈલેક્ટોરલ કૉલેજ? આ સંસદના ઉપલા અને નીચલા સદન એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો મળીને બને છે. આ સાથે તેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો પણ સામેલ થાય છે.
જો આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો, આ ચૂંટણીમાં 4,896 મતદાતા હશે. જે પૈકી 543 લોકસભા અને 233 રાજ્યસભા સાંસદો સિવાય તમામ રાજ્યોના 4,120 ધારાસભ્યો સામેલ છે.
એક મતની કિંમત એક નહીં
સાંસદો અને ધારાસભ્યો તરફથી નાંખવામાં આવેલા વોટની કિંમત એકથી વધુ હોય છે. એક તરફ જ્યાં લોકસભા અને રાજ્યસભા સાંસદોના વેટની કિંમત 708 થાય છે. જ્યારે ધારાસભ્યોના વોટની કિંમત વસ્તીની સંખ્યા જેવી બાબતો પર નિર્ભર કરે છે.
એક ધારાસભ્યના વોટની ગણતરી માટે રાજ્યની વસ્તીની સંખ્યાને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગવામાં આવે છે. જે પરિણામના ભાગ આગળ 1000થી કરવામાં આવે છે. રાજ્યના હિસાબથી જોઈએ તો, ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના વોટની કિંમત સૌથી વધુ 208 છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં આ આંકડો 8 પર છે.
એક વખત કુલ આંકડા પર નજર
આ દ્રષ્ટિએ રાજ્યસભા અને લોકસભા સાંસદોના મતની કિંમત 5,59,408 છે. જ્યારે ધારાસભ્યોના કેસમાં આ સંખ્યા 5,49,495 છે. એવામાં ઈલેક્ટોરલ કૉલેજનો આંકડો 10,98,903 પર પહોંચી જાય છે.
કેવી રીતે થાય છે જીત?
અહીં માત્ર બહુમતના આધારે જ ઉમેદવાર વિજયી નથી થતો, પરંતુ તેમને વોટનો ખાસ ક્વોટા પ્રાપ્ત કરવાનો હોય છે. ગણતરી દરમિયાન ચૂંટણી પંચ તમામ ઈલેક્ટોરલ કૉલેજ તરફથી બેલેટ પેપર થકી નાંખવામાં આવેલા તમામ મતોની ગણતરી કરે છે. ઉમેદવારને નાંખવામાં આવેલા કુલ મતના 50 ટકા અને એક વધારાનો મત પ્રાપ્ત કરવાનો હોય છે.