હરિયાણા પોલીસે દિલ્હી પાસે ‘નવા જમતારા’ એટલે કે મેવાતમાં સાયબર ગઠિયાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બોર્ડર પર દિલ્હીથી 80 કિમી દૂર આવેલ 14 ગામોમાં દરોડા કર્યા છે. આ દરમિયાન 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી. એટલું જ નહિ પોલીસે સાયબર ઠગાઇમાં ઉપયોગમાં લેવાયેલ 2 લાખથી વધુ મોબાઈલ નંબર બ્લોક કરાવવામાં આવ્યા છે. આ રેડ ગુરુગ્રામના એસીપી સાયબરની દેખરેખમાં કરવામાં આવી. જેમાં 4 થી 5 હજાર પોલીસ કર્મીઓ સામેલ થયા હતા.
IPL 2023 : KKRની આ સિઝનમાં ત્રીજી જીત, RCBને 21 રને હરાવ્યું
વાસ્તવમાં નજીક આવેલા આ વિસ્તારોમાંથી દેશભરમાં સતત સાયબર ક્રાઇમની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકારે 9 રાજ્યોમાં જે 32 સાયબર ક્રાઇમના હોટ સ્પોટ બતાવ્યા હતા, તેમાં મેવાત, ભિવાની, નૂહ, પલવલ, મનોટા, હસનપુર, હથન ગામ સામેલ છે.
IPL 2023: લખનૌની શાનદાર જીત, પંજાબને 56 રને હરાવ્યું
આ 14 ગામમાં કરવામાં આવી રેડ
સતત મળી રહેલી સાયબર ક્રાઇમની ફરિયાદો બાદ ભોડસી પોલીસ સેન્ટરમાં આ ગામોમાં દરોડા કરવા માટે ગોપનીય સ્તરે રણનીતિ બનાવવામાં આવી હતી. ત્યારબાદ. 102 ટીમોએ 14 ગામોને ઘેરી લઈને રેડ કરી હતી. મેવાતના પુન્હાના, પિંગવા, બિછૌર, ફિરોઝપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મહુ, તિરવડા, ગોકલપુર, લુહિંગા કલા, અમીનાબાદ, નઈ, ખેડલા, ગાદૌલ, જેમન્ત, ગુલાલતા, જખોપુર, પાપડા, મામલિકા ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 14 ડીએસપી, 6 એએસપી દ્વારા 102 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોઈ લગભગ 4000-5000 પોલીસ કર્મીઓ હતા. એટલું જ નહી આ તમામ ગામોને ચારેય તરફથી ઘેરી લઈને રેડ કરવામાં આવી હતી જેથી કોઈ પલાયન ન થઇ શકે.
સરકારે 32 નવા જમતારાનો કર્યો ખુલાસો
અત્યારસુધી માત્ર ઝારખંડના જમતારાને જ સાયબર ક્રાઈમનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ તાજેતરમાં જ સરકારે જણાવ્યું હતું કે દેશના 9 રાજ્યોમાં આવેલા 32 જેટલા ગામો અને શહેરો એવા છે જે સાયબર ક્રાઈમનો ગઢ બની ગયા છે. સરકારના જણાવ્યા મુજબ, દેશના 9 રાજ્યોમાં હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં સાયબર ક્રાઈમના હોટ સ્પોટ છે.
રેસલર્સ પ્રોટેસ્ટ: વિનેશે ક્રિકેટરો સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને આડેહાથ લીધા
ક્યાં ક્યાં છે હોટ સ્પોટ?
સાયબર ક્રાઈમનો ગઢ માનવામાં આવે છે ઝારખંડનું જમતારા
છેલ્લા કેટલાક સમયથી ઝારખંડના જમતારાને સાયબર ઠગાઈનો ગઢ માનવામાં આવે છે. જમતારામાં એવા ઘણા ગામો છે જ્યાંથી દેશભરમાં સેંકડો ગઠિયાઓ સાયબર ક્રાઈમની ઘટનાઓને અંજામ આપે છે. લોકોને અલગ-અલગ રીતે છેતરીને તેમના બેંક એકાઉન્ટ સાફ કરનારા જમતારાના સાયબર ઠગ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેના પર એક વેબ સિરીઝ પણ બની હતી.
તે અમારી સાથે રમત કરી ગયા, વિનેશ ફોગાટ ફોગાટનો આરોપ
કોણ છે જમતારાનો માસ્ટર માઈન્ડ?
સીતારામ મંડલ જમતારાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવતો હતો. તે 2010માં કામની શોધમાં મુંબઈ ગયો હતો. ત્યાં તેણે રેલ્વે સ્ટેશનથી લઈને રસ્તાની બાજુએ લાગતા સ્ટોલ પર કામ કર્યું. બાદમાં તેને કોલ સેન્ટરમાં નોકરી મળી અને અહીંથી તેનું જીવન બદલાઈ ગયું. 2012માં સીતારામ મંડળ જમતારા પરત ફર્યા. અહીં આવ્યા બાદ તેણે સાયબર ફ્રોડ કરવાનું શરૂ કર્યું. તેની છેતરપિંડી કરવાની પદ્ધતિ પણ અલગ હતી. તે સીરીઝ પ્રમાણે મોબાઈલ નંબર બનાવતો હતો અને કોલ કરતો હતો. ત્યારબાદ લોકોને અલગ-અલગ રીતે ફસાવીને તે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નંબર માંગતો હતો અને OTP માંગતો હતો. OTP દાખલ કરતાની સાથે જ લોકોના ખાતામાંથી પૈસા તેની પાસે આવી જતા હતા.
2016માં જ્યારે જમતારા પોલીસે તેને પકડ્યો ત્યારે તેના ખાતામાંથી 12 લાખ રૂપિયાથી વધુ રકમ મળી આવી હતી. તેણે બે પાકાં મકાનો બનાવ્યાં હતાં. તેણે તેની બંને બહેનોને સારી રીતે પરણાવી હતી. તેની પાસે સ્કોર્પિયો કાર પણ હતી. પોલીસે તેની પાસેથી 7 સ્માર્ટફોન અને 15 સિમ કાર્ડ પણ કબજે કર્યા હતા. આ પછી જમતારાનાં તમામ ગામોમાંથી સાયબર છેતરપિંડીનો આ ખેલ શરૂ થયો હતો.