ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડવાના કેસમાં મદદ કરનાર વડોદરાના દંપતિ ભાસ્કર ચૌધરી અને રિદ્ઘિ ચૌધરીની ATSએ અટકાયત કરી હતી. ATSએ વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રમુખબજાર કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેકવાઝ ટેકનોલોજીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા પર પસંદગી ઉતારી છે. તથા શૈલેષ પરમારની ઉપનેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. શૈલેષ પરમાર દાણીલીમડાના MLA છે.
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે “તૃતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23” નું આયોજન તા.12 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધાના સુચારૂ આયોજન માટે ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયાના અધ્યક્ષસ્થાને ઓસમ ડુંગર તળેટી ખાતે બેઠક યોજાઈ હતી.
મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ગુજરાતના જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે વહેલી સવારે 4.30 વાગ્યે વિકરાળ આગી લાગી હતી. આ આગમાં ત્રણ લોકોના મોત થયા છે. બાળક અને પતિ-પત્નીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
જુનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ભેસાણના જમન ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચી ભેસાણ આવી હતી. તથા ભેસાણના યુવક સાથે સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી. તથા માથાકૂટ કરવા મંડળી રચી કીર્તિ પટેલ ભેસાણ પહોંચી હતી.
આગામી દિવસોમાં ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરી શકે છે. તેમાં શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. તથા નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ પહોચ આવશે. તેમજ બોડિવોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ/ટ્રાફિક પોલીસ રહેશે.
વિધાનસભાનું એક દિવસીય સત્ર શરૂ થયુ છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તથા CM ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કર્યો હતો. તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમજ નેતા વિપક્ષ વિના જ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે.
સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના ફુલફ્લેજ્ડ મંત્રીમંડળની આજે બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે, એ સાથે 1995થી સતત 7મી વાર ભાજપ સરકાર સત્તારૂઢ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં ભાગ લેવા રવિવારે મોડી રાત્રે ગાંધીનગર આવી ચૂક્યા છે.
વરાછા રોડ વિધાનસભા બેઠક-161 પર કુલ મતદારો 215702 છે. જેમાં પુરૂષ મતદારો 120894 અને સ્ત્રી મતદારો 94803 છે. જેમાં 56.38 ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે કુમાર કાનાણીને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ 2017માં 13998ના માર્જિનથી 68472 વોટ મેળવીને વિજેતા બન્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. બેલેટ પેપરની મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા પરંતુ બાદમાં પાછળ થઈ ગયા હતા પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની 182 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. 182 બેઠક માટે 1621 ઉમેદવારોના પરિણામ જાહેર થશે. દરેક જિલ્લામાં કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અને ડેપ્યુટી કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. જે તેમના સંલગ્ન બેઠકોના પરિણામ જાહેર કરશે.
28 નવેમ્બરે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપીને એરપોર્ટ ઓથોરીટિ ઓફ ઇન્ડિયા (AAI)એ ટ્વિટ કર્યું હતું. ખરેખર આ ટ્વિટ ભૂલથી થયું હોવાની માહિતી ખુદ AAIએ એક RTIમાં આપી છે.
મહેસાણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતર્યા છે ત્યારે મહેસાણા ટાઉનહોલ ખાતે મહિલા સંમેલનમાં કલાકાર રહેલા એવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી ગુજરાતની આ ચૂંટણીને સરળતા થી ન લેવા બહેનોને અપીલ કરી હતી.
શાહે રેલીને સંબોધતા કહ્યુ કે 2024માં નરેન્દ્ર ભાઈને ફરીવાર પ્રધાનમંત્રી બનાવીશું. આ મત માત્ર 2022 નહીં પરંતુ 2024 માટે પણ છે. કોંગ્રેસનાં રાજમાં ઉત્તર ગુજરાત ડાર્ક ઝોન હતુ. ભાજપે ખોરંભે ચઢેલી નર્મદા યોજના હાથમાં લીધી હતી.
ભાવનગરમાં એસજીએસટી વિભાગના મોબાઈલ સ્કવૉડમાં ફરજ બજાવતા પ્રિતેશ દુધાતની ધરપકડ થતા જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ કબૂલાતમાં હજી કેટલાના નામ ખુલશે તેવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે બીજી બાજુ જીએસટીના ઉચ્ચ અધિકારીઓ અંદરખાને પોલીસથી ખૂબ નારાજ થઈ ગયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાર અલગ અલગ રાજકીય પાર્ટીઓના સ્તર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેવામાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બાગડોર સંભાળી રહ્યા છે.
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે મેઘા પાટકરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જે નર્મદા યોજનાને મંજૂરી નહોતી મળતી એ યોજના રાજીવ ગાંધીએ મંજૂરી અપાવીને આગળ વધારી હતી. મેઘા પાટકરની વાત આદિવાસીઓ માટે હતી જે તમામ મુદ્દાઓને કોંગ્રેસે હલ કર્યા હતા.
ગુજરાતમાં આગામી મહિને 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે.
આમ આદમી પાર્ટીએ તેમના મુખ્યમંત્રી પદના દાવેદાર એવા ઈસુદાન ગઢવીને જામ ખંભાળિયાથી ટિકિટ આપી છે. પરંતુ ખંભાળિયા બેઠકનો રાજકીય ઈતિહાસ જોઈએ તો 1967 પછી બિનઆહીર ઉમેદવારો જીત્યા જ નથી. 1972થી સતત આહીર ઉમેદવાર જ ધારાસભ્ય બન્યા છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસમાંથી આહીર ઉમેદવારો છે ત્યારે ઈસુદાન માટે કપરા ચઢાણ સાબિત થશે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણનો આરોપ લગાવ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યાં છે. જેમાં નામાંકન પહેલા અડાલજ અને નીરુમાં સમાધિના દર્શન કર્યા છે. તેમજ CMએ જનતા વચ્ચે જઈને શક્તિ પ્રદર્શન કર્યું છે. તથા રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં છે.
રમેશ ટીલાળાનું ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું. ભાજપમાંથી ટિકિટ મળતા ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના નિયમ પ્રમાણે રાજીનામુ આપ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રમેશ ટીલાળાએ ઝંપલાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર જામી ગયો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારોની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે ભાજપે ગઇકાલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને સૂચના આપી દીધી છે. તમામ ઉમેદવારોને ફોન કરી આપી સૂચના. આ રહ્યું આખેઆખું લિસ્ટ.
આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
NEW MONTH NEW RULES: આજથી શરૂ થઈ રહેલા નવા મહિને પાંચ મોટા ફેરફારો થવા જઇ રહ્યા છે જે આપણે આજે જ જાણવા જરૂરી છે. આમાં GST અને ઇન્શ્યોરન્સ સંબંધિત ફેરફારો પણ સામેલ છે.
મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન દેશના એક માત્ર ઝૂલતા પૂલના રીનોવેશન બાદ ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ખાનગી કંપનીના સંચાલકે 8 વર્ષ સુધી પૂલ નહી તૂટે તેવી ડંફસો મારેલી હતી. જોકે પૂલ તૂટતા ઢંગધડા વિનાના રીનોવેશનની પોલ ખૂલી ગઈ છે. ઓરેવા કંપનીના સંચાલક દીપક પારેખે જણાવ્યું હતું કે, કંપનીના જયસુખભાઈ પટેલના ઝુલતા પૂલ સાથેના લગાવના કારણે રૂ.2 કરોડના ખર્ચે ઝૂલતા પુલનું રીનોવેશન કામ પૂર્ણ કરાયું છે.
વડોદરામાં ફરી એક વાર કોમી અથડામણ થઇ છે. જેમાં પાણીગેટ મુસ્લિમ હોસ્પિટલ પાસે બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ બબાલ થઇ હતી. તેમાં દુકાનો અને વાહનોને આગ ચંપી કરવામાં આવી હતી. તથા પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અંદાજે 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
Surat Demolition: સુરતમાં રીંગરોડ સહારા દરવાજા પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી.
આજે વહેલી સવારે ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ લાગી હતી. વિકાસ કમિશનર કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજા માળે આવેલી કચેરી આગની લપેટમાં ઘેરાઈ ગઈ હતી.
તાલાલાના ધાવા ગામે અંધશ્રાધ્ધાની આડમાં બાળકીની નરબલીના નામે હત્યા કરનાર બાળકીના પિતા અને તેના મોટાભાઈને હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ ઘટનામાં વધુ આરોપીઓ સામેલ હોવાની શકયતા છે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યુ હતુ.
રૂપિયા 1.60 કરોડના ડ્રગ્સ પકડવાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ માફિયા માતા કૌશર અને તેના પુત્ર સફાત ઉર્ફ બલ્લુની ધરપકડ કરી છે. તેમાં રાજસ્થાનનો અફઝલ ગુરુ ડ્રગ્સ લાવ્યો હતો. તેમાં નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેમિંગ એપ બનાવી સટોડિયાઓ દ્વારા જે રકમની હારજીત થતી હતી તેની ચૂકવણી અને ઉઘરાણી માટે સુરતના ડિંડોલી વિસ્તારના બે શખ્સોને હાથો બનાવી ડમી આધારકાર્ડ, પાનકાર્ડ અને ગુમાસ્તાધારાના આધારે ડમી પેઢી ઉભી કરી ખોટા 55 બેન્ક એકાઉન્ટ ખોલી કરાઇ રહેલી નાણાંની હેરાફેરી પ્રકરણમાં પોલીસને સટોડીયાઓના બેન્ક એકાઉન્ટમાંથી 1218 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આજે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલા ઉમેદવારોએ રસ્તા પર ચક્કાજામ કર્યુ હતું. આંદોલનકર્તાઓ રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી હતી.
ahmedabadNavratri ahmedabadNavratri : બે વર્ષના વિરામ બાદ અમદાવાદમાં નવરાત્રીની ધૂમ હશે. અમદાવાદમાં આવેલા ગરબાના કોમર્શિયલ સ્થળો ઉપરાંત ખાનગી પાર્ટી પ્લોટ્સ અને વિવિધ ક્લબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રી માટે લાઈટિંગ સહિતની વિવિધ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. કોમર્શિયલ સ્થળોએ તો આયોજકોએ લોકોની સંખ્યા નક્કી કરી દીધી છે.
આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યાં છે. જેમાં અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તથા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહે સંબોધન કર્યું છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત છે.
સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વરસતા રાજ્યના અનેક જિલ્લા પ્રભાવિત થવા સાથે ગાયોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ત્યારે હવે આ વાઈરસ ગામડાંથી પ્રસરતો નગરમાં અને ગૌશાળામાં પણ પ્રસરી રહ્યો છે.
2009થી લાઈસન્સ વગર ધમધમતી એમોસ કંપનીમાંથી કેમિકલનો વેપલો થતો રહ્યો તેમ છતાં તંત્ર બેખબર ? લઠ્ઠાકાંડમાં પીપળજીની એમોસ કંપનીની સંડોવણી ખુલી છે.
નવસારીમાં ભારે વાદવિવાદ અને હાઇવોલ્ટેજ ડ્રામા બાદ જમાલપોરમાં બનેલ રાધાકૃષ્ણનું મંદિરનું અનધિકૃત ઠરાવેલ બાંધકામ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા)એ દૂર કર્યું હતું.
સતત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા કચ્છના રાપર તાલુકામાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. તાલુકા મથકે નોંધાયેલ વરસાદના આંકડા મુજબ, ગઈકાલે સાંજે 5 થી સવારના 5 વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ વરસી ગયો છે.
સુરતમાં માત્ર 25 રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. જેમાં મનપા સંચાલિત સિટીલિંક બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તેમાં 25 રૂપિયાની સુમન પ્રવાસ ટીકીટ લેવાની રહેશે. જેમાં આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.
દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે
કરજણ તાલુકાના ઢાઢર નદીના કાંઠે આવેલ સંભોઈ ગામે નદીની સામે પાર ફ્સાયેલા 100 જેટલા લોકોને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. કરજણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મેઘાએ ઝંઝાવાતી બેટીંગ કરતાં તાલુકાના જનજીવનને ઝંઝોડી નાખ્યું છે. ગત રાત્રીના 10 વાગ્યા બાદ આખી રાત મેહુલીયો વરસતાં નગર સહિત તાલુકામાં નદી-નાળા, તળાવો , વરસાદી કાંસ છલકાઈ ગયા છે.
આજે દિવસ દરમિયાન 208 તાલુકામાં વરસાદી માહોલ રાજ્યના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર 39,177 લોકોનું સ્થળાંતર, 5467 ગામમાં અંધારપટ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કે
ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપની હરકત સામે આવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીની સરકારી આર્ટસ કોલેજમાં સોમવારે બપોરે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન અંદર ઘૂસી ભાજપના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનું શરૂ કરતાં વિવાદ સર્જાયો છે.
શ્યામલ ક્રોસ રોડ પર એક કોમ્પ્લેક્સનું ભોંયરું આખું પાણીમાં ડૂબી ગયું, 20થી 25 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ
આણંદના વિદ્યાનગર પાસે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હેરાનગતિ કરીને ત્રાસદાયક વર્તન કરવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે રેગિંગ, બાળકોને માર મારવા, વ્યવસ્થિત જમવાનું ન આપવા જેવા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકોના ત્રાસથી કોઈ બાળકે હોસ્ટેલમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો
બિલ્ડિંગમાં 3-4 હોસ્પિટલમાં નવજાત બાળકો ફસાયાદેવ કોમ્પલેક્સમાં ત્રીજા માળે સર્વર રૂમમાં લાગી આગ ઓફિસના કાચ તોડીને લોકોને બચાવાયાઆગની ઘટનામાં નવજાત બાળકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી જૂનના રોજ વડોદરા આવી રહ્યાં છે, ત્યારે અગાઉથી નક્કી કરવામાં આવેલો શહેરમાં વડાપ્રધાનનો રોડ શૉ રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અલકાયદા તરફથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. આથી સુરક્ષા કારણોસર વડાપ્રધાનનો રોડ શૉ રદ કરાયો હોવાનું કહેવાય છે.